-->

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા - CGMS

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા - CGMS

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરીટમાં સમાવેશ પામનાર ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.


પાત્રતા

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ
  • આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧) (સી) ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં ૨૫%ની મર્યાદામાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ (વર્ષ-૨૦૨૫) ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એકટ ૨૦૦૯ ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
  • ખાનગી શાળાના વિધાર્થીઓ આદર્શ નિવાસી શાળાઓમાં એડમીશન માટે આ પરીક્ષા આપી શકે છે. શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી.

વર્ષ 2024 - 25 માટેની માહિતી

  • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 25/02/2025 થી 07/04/2025
  • પરીક્ષાની તારીખ : 12/04/2025
  • પરિણામની તારીખ :

અભ્યાસક્રમ

  • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે.
  • અભ્યાસક્રમ ધોરણ-૮ નો ઉપરોક્ત વિષયનો રહેશે.

પ્રશ્નપત્રનું માળખું

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી ૪૦ ૮૦ ૧૫૦ મિનિટ
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી ૮૦ ૮૦

પરીક્ષા કેન્દ્ર

પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષા કેન્દ્ર) પર વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.


પરિણામ અને મેરીટ લિસ્ટ

  • આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
  • ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

  • ઉપર મુજબ ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.
  • સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક-૩ (તા.૨૦/૧૦/૨૦૨૩ના સુધારા ઠરાવ મુજબ) દર્શાવ્યા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી શકશે.
  • પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ-૯ માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે.
  • વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે.
  • પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કે નિયામકશ્રી, શાળાઓની જવાબદારી રહેશે નહી.
  • આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

મળવાપાત્ર લાભ

  • પસંદગી પામેલ ખાનગી માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 સુધી કુલ 94,000 રૂપિયા શિષ્યવૃત્તિ.
  • સરકારી અથવા ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 સુધી કુલ 26,000 રૂપિયા શિષ્યવૃત્તિ.
  • ખાનગી શાળાના વિદ્યાર્થીઓને માત્ર સરકારી આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જ મળશે,જેમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી.

અગત્યની સુચનાઓ

  • આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
  • મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
  • પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
  • ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
  • આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
  • સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્ર સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર ભરવાના રહેશે.
  • વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
  • હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે.
  • હોલ ટિકિટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચોટાડવાનો રહેશે.
  • સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ની જોગવાઈ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતા વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચુકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે.
  • ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈ પણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં.

માહિતી જુઓ
જ્ઞાનસાધના 2025 પેપર ડાઉનલોડ કરો.
જ્ઞાનસાધના 2025 જવાબવહી ડાઉનલોડ કરો
પરિણામ ટૂંક સમયમાં મુકાશે
મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં મુકાશે
રજીસ્ટ્રેશન ફોર્મ રજીસ્ટ્રેશન કરો
લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ માહિતી મેળવો
જરૂરી સૂચનાઓ અને કામગીરી રુપરેખા જુઓ
જ્ઞાનશક્તિ શાળાઓની યાદી જુઓ
જ્ઞાનસેતુ શાળાઓની યાદી જુઓ
સરકારી શાળાઓની મેરીટ યાદી જુઓ
પ્રાઈવેટ શાળાઓની મેરીટ યાદી જુઓ

વધુ માહિતી,જાહેરનામું,પરિણામ અને જુના પેપરો જોવા માટે આપ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

વેબસાઇટ જુઓ

મેરીટ લીસ્ટ, શાળા પસંદગી તથા આ યોજનમાં પસંદગી પામેલ શાળાઓની યાદી જોવા માટે નીચેની વેબસાઈટની મુલાકાત લેવી.

વેબસાઇટ જુઓ