રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા એ આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ યોજના છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર મહિને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
પાત્રતા
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
- ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
- NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/-થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીને જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે.
વર્ષ 2024 - 25 માટેની માહિતી
- ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો : 01/01/2025 થી 16/01/2025
- પરીક્ષાની તારીખ : 22/02/2025
- પરિણામની તારીખ :
અભ્યાસક્રમ
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
- ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
પ્રશ્નપત્રનું માળખું
વિભાગ | વિષય | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
---|---|---|---|
MAT (માનસિક યોગ્યતા કસોટી) | તાર્કિક અને તાર્કિક પ્રશ્નો | 90 | 90 |
SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી) | ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન | 90 | 90 |
ક્વોલિફાઇંગ ગુણ
- જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ મેળવવાના રહેશે.
- ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.
મળવાપાત્ર લાભ
- પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂા. ૧૦૦૦/- લેખે વાર્ષિક રૂા. ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે)
- શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
- National Scholarship Portal ની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઈએ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજુ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
અગત્યની સૂચનાઓ
- વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર અપલોડ કરવું.)
- આવક અંગેના પ્રમાણપત્ર:- મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ચીફ ઓફીસરશ્રી તેમજ કોઇપણનો આવક અંગેના પ્રમાણપત્ર માન્ય રહેશે.
- જાતિ અંગેના પ્રમાણપત્ર:- મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે શાળાના આચાર્યનું રજીસ્ટર્ડ (જાવક નંબર તેમજ ફોટા સાથેનું) બોનાફાઈડ માન્ય રહેશે. જેમાં વિધાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે.
- નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષમાં ઉત્તિર્ણ થઇ મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશીપ મેળવવા માટે NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજીયાત છે.
- આધારકાર્ડ : NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજીયાત છે. તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધારકાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધારકાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે.
પરિણામ જોવા માટે નીચે ક્લિક કરો.
પરિણામ જુઓવધુ માહિતી માટે આપ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
સત્તાવાર વેબસાઇટ