-->

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -2019 દેવ વિદ્યામંદિર

                    આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે. કમ્પ્યુટર ની દુનિયા માં આજે માનવી છેક ચંદ્ર પર પહોંચી ગયો છે તે બધા વૈજ્ઞાનિકો ને આભારી છે.
                            આજ નો દિવસ એટલે"" રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ""પ્રથમ એશિયા નોબલ પુરસ્કાર વિજેતા ડો. સી. વી. રામન ની યાદ માં એટલે કે આજે તેમને પ્રકાશ નુ પરાવતૅન એટલે કે રામન ઈફેક્ટ ની શોધ કરી.તેથી આજના દિવસે "" રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ "" ની ઉજવણી કરવામાં આવે છે..
                              આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ ખાતે શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના ગણિત વિજ્ઞાાન ના ઉત્સાહી શિક્ષક શ્રી રમેશભાઈ ચૌધરી   દ્વારા બાળકો ને આજના વિજ્ઞાન ને લગતું માગૅદશૅન આપવા માં આવ્યું હતું. આજે કિવઝ સ્પર્ધા ની સાથોસાથ જાદુ ખેલ શોધ અને શોધક અને વક્તવ્ય થકી બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન રમેશભાઈ ચૌધરી એ કયુૅ હતું.
                                શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ કિવઝ નું પરીણામ જાહેર કયૂૅ ત્યારે તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. છેલ્લે શાળા ના અંગ્રેજી વિષય ના ઉત્સાહિત શિક્ષક શ્રી ગિરિશભાઈ ચૌધરી એ આભાર વિધી કરી આજના યુગ સાથે કદમ મિલાવી ચાલવાની વાત કરી કાયૅકમ પૂણૅ જાહેર કયૉ હતો...


  • આજની ક્વિઝ સ્પર્ધાની વિજેતા ટીમ : અબ્દુલ કલામ 
  • ચૌધરી મુકેશભાઈ  દેવાભાઈ
  • ચૌધરી અશ્વિનભાઈ હિરજીભાઈ
  • ચૌધરી જગદીશભાઈ જેઠાભાઇ
  • રાવળ રાજુભાઇ કરશનભાઈ