ભારત વર્ષ મા અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ તહેવારો થી વણાયેલી છે. જયારે પણ તહેવાર આવે છે તો લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. તે પછી નાનો તહેવાર હોય કે મોટો તહેવાર હોય. હાલ માં આપણને વિશ્વ માં ઓળખ અપાવનાર આપણો સૌથી મોટો તહેવાર એટલે કે "" નવરાત્રી મહોત્સવ "" ચાલી રહ્યો છે. માૅં જગજનની મહિસાસુર સાથે યુદ્ધ ક્યુૅં અને વિજય મેળવ્યો. યુવાનો મન મુકીને મોડા સુધી ગરબા રમતા હોય છે.
દેવ વિધામંદિર થરાદ દ્વારા આજે દશેરા ની રજા હોવા છતાં બાળકો આજ ના દિવસ નું મહત્વ સમજે તે ઉદેસ થી આજે શાળા સંકુલ માં નવરાત્રી મહોત્સવ ની સાથે વિજયા દસમી ની ઉજવણી કરવામાં આવી હતી.. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુકાયો હતો. શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિતે આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું.સૌ પ્રથમ આરતી શિક્ષકો વાલીઓ અને બાળકો એ કરી હતી. શાળા ના તમામ સ્ટાફ મિત્રો, શાળા ના તમામ બાળકો એ ભાગ લીધો હતો. ટ્રેડીશનલ ડ્રેસ માં આવેલ બાળકો એ અનેરૂ આકર્ષક જમાવ્યું હતું.. મન મુકીને તમામ બાળકો આજે નાચ્યા હતા.. નાના બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
છેેેલ્લે શાળા ના તમામ બાાળકોનેે શાળા પરિવાર તરફ થી ફાફડા અને જલેેબી નાસ્તો આપવામાં આવ્યો હતો..અને છેલ્લે જયેશ પંડ્યા એ તમામ નો આભાર માની કાયૅકમ પુુુણૅ જાહેર કયૉ હતો.
*🔱હેપ્પી વિજયાદશમી🔱*
*અધર્મ પર ધર્મ નો વિજય*
*અન્યાય પર ન્યાય નો વિજય*
*અસત્ય પર સત્ય નો વિજય*
*પાપ પર પુણ્ય નો વિજય*
*અત્યાચાર પર સદાચાર નો વિજય*
*કોઁધ પર "દયા" અને "ક્ષમા" નો વિજય*
*"રાવણ" પર "શ્રીરામ" નો વિજય*
એવા પ્રતિક *"વિજય દશમી"* ના પાવન પર્વ ની
આપને અને આપના પરિવાર ને
મારી અને મારા પરિવાર તરફથી
હાર્દિક શુભેચ્છાઓ....
●▬▬▬◆ஜ۩۞۩ஜ◆▬▬▬●