-->

ગણેશ ચતુર્થી ઉજવણી 2022

આજ રોજ થરાદ ની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ગણપતિ પૂજન કરવામાં આવ્યું..ગણેશ ચતુર્થી ના પાવન પ્રસંગે શાળા માં ગણપતિ પૂજન સાથે બાળકો ગરબા ની રમજત જમાવી...શાળા ના ઉત્સાહિત શિક્ષક અગજીભાઈ ચૌધરી દ્વારા માટી ના ગણેશ બનાવવામાં આવ્યા હતા..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ રમેશભાઈ ચૌધરી ભરતભાઈ પુરોહિત અને શાળા પરિવાર દ્વારા પ્રથમ આરતી કરવામાં આવી હતી..અને બાદ બાળકો મન મૂકી ગણપતિ ના ગરબા સાથે રમ્યા હતા...

   અને ત્રણ દિવસ બાદ બાપાને ખુબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક વિદાય આપવામાં આવી હતી. વિદાય દરમિયાન ડીજે સાઉન્ડ ના તાલે નાચતા અને કુદતા તમામ વિદ્યાર્થીઓ સાથે બાજુમાં જ આવેલા મલુપુરના તળાવ સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું.