આજ ના કમ્પ્યુટર યુગ માં દરેક બાળક આગળ આવે તેમજ શાળા ના કાર્યક્રમમાં ભાગ લે તોજ તેનું શિક્ષણ સાથૅક ગણાય. શિક્ષણ ની સાથે સાથે સંસ્કાર અને શિસ્ત નુ પણ એટલું જ મહત્ત્વ છે. આજ પ્રાર્થનાસભા માં શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ દ્વારા બાળક મા પડેલી સુસુપ્ત શકિત બહાર આવે તેમજ દરેક બાળક કાર્યક્રમ માં ભાગ લે તેવી બાળકો ને સમજ આપી હતી. તેમજ આજ ના યુગ માં કઈ રીતે ટકી રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. શાળા સંચાલક સાહેબ તરફ થી અવ નવું માર્ગદર્શન મળતું રહે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ નો.....