-->

શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૮ - ૧૯ સૌરાષ્ટ્ર દર્શન

RAMESH CHAUDHARI

પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું  મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે..                                                                                                                વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.                                                    

            દેવ વિધામંદિર થરાદ દ્વારા પાંચ દિવસીય  પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૬ વિધાર્થીઓ સાથે ૦૫ શિક્ષકો ની સાથે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પુરોહિત પણ જોડાયા હતા.. પ્રવાસ માં બાળકો આનંદિત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. અવનવી પૌરાણિક વસ્તુઓ તેમજ દરિયાની લહેરો જોઈ ખુશ થયા હતા..                                                                                                                                  

શૈક્ષણિક પ્રવાસ વર્ષ- ૨૦૧૮ (સૌરાષ્ટ્ર દર્શન)

v રાત્રે ૦૯:૦૦ કલાકે પ્રસ્થાન  (તા. ૦૬/૧૨/૨૦૧૮)
Ø   પ્રથમ દિવસ – (તા. ૦૭/૧૨/૨૦૧૮)
નવા રણુંજા – જામનગર – ગોમતી દ્વારકા – બેટ દ્વારકા – નાગેશ્વર – ગોપી તળાવ
(ગોમતી દ્વારકા રાત્રી રોકાણ)

Ø બીજો દિવસ – (તા. ૦૮/૧૨/૨૦૧૮)
હરસિધ્ધ માતા – મુળ દ્વારકા – પોરબંદર – સોમનાથ (સોમનાથ રાત્રી રોકાણ)

Ø   ત્રીજો દિવસ – (તા. ૦૯/૧૨/૨૦૧૮)
દીવ – તુલસીશ્યામ – સાસણગીર – સત્તાધાર (સતાધાર રાત્રી રોકાણ)

Øચોથો દિવસ –(તા. ૧૦/૧૨/૨૦૧૮)
બીલખા – જુનાગઢ (રાત્રી રોકાણ જુનાગઢ)

Ø પાંચમો દિવસ – (તા. ૧૧/૧૨/૨૦૧૮)
વિરપુર – ખોડલધામ – ફનવર્ડ -ચોટીલા
Ø સવારે ૦૫ વાગે પરત થરાદ...(૧૨/૧૨/૨૦૧૮)



  • ખાસ નોંધ : અહિયાં ફક્ત અમુક ફોટો જ મૂકવામાં આવ્યા છે. બાકીના તમામ ફોટો આજે જ ફોટો ગેલેરી વિભાગમાં મૂકવામાં આવશે.



  • ફોટો કેવી રીતે આપના મોબાઈલમાં ડાઉનલોડ કરવો તેના માટેનો વિડીયો જોવા અહિયાં ક્લિક કરો.