-->

કોરોના વાયરસ અંતર્ગત લોકજાગૃતિ અભિયાન - દેવ વિદ્યામંદિર થરાદ

કોરોના વાયરસ ની લોકજાગૃતતા માં દેવ વિદ્યામંદિર શાળા ની પહેલ

                               હાલ ના સમય માં દરેક ના મોઢે એક જ શબ્દ સાંભળવા મળે છે..કોરોના..કોરોના. ગામડા ના લોકો પાસે આ વાયરસ વિશે સિમિત માહિતી હોય છે.આ વાયરસ થકી શાળા ,કોલેજ ,થિયેટર માં મીની વેકશન જાહેર કરી દીધું છે.
દેવ વિદ્યામંદિર ના શાળા ના તમામ સ્ટાફ મિત્રો દ્વારા એક નવી પહેલ કરી છે.  શાળા માં રજા હોવાથી આખો દિવસ બેસી રહેવા કરતા આ વાયરસ નું શુ તથ્ય છે અને લોક જાગૃતિ અર્થે તમામ સ્ટાફ થરાદ તાલુકા ના તમામ ગામડા માં જઈ વાલી ની શુભેચ્છા મુલાકાત સાથે કોરોના વાયરસ નું સચોટ માર્ગદર્શન આપી લોક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.શાળા ના પ્રમુખ સાહેબ દેવાભાઈ પટેલ શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિત અને ઉપચાર્ય જયેશભાઇ પંડ્યા  આ કાર્યક્રમ ની  પહેલ કરી છે.
                             શાળા ના તમામ સ્ટાફમિત્રો લોકજાગૃતિ અભિયાન માં જોડાયા હતા અને વાલી ઓ દ્વારા પણ સારા પ્રતિભાવો મળ્યા હતા.