-->

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી - 2022

RAMESH CHAUDHARI
આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે .આપને જાણીએ છીએ કે આજ વિજ્ઞાન ક્યાં થી ક્યાં પહોંચી ગયું છે.છેક ચાંદ પર જઈ ને અવનવું સંશોધન અત્યારે ચાલી રહ્યું છે.     28 મી ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ.જે સી.વી. રામન ની રામન ઈફેક્ટ એટલે કે પ્રકાશ ની પરાવર્તન ની ક્રિયા ને યાદ કરી ને ઉજવવામાં આવે છે.  આજ રોજ આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યકમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળા ના બાળકો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો.જેમાં વક્તવ્ય,હાથ ચાલાકી અને ગણિત કોયડા અને ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું...કાર્યક્રમ નું  સંપૂર્ણ સંચાલન ધોરણ 11 આર્ટસ ના વિદ્યાર્થીઓની ટીમે કર્યું હતું.. આજ ના દિવસ નું આયોજન અને માર્ગદર્શન ગણિત વિજ્ઞાન ના શિક્ષક મિત્રો રમેશભાઈ ચૌધરી, અલ્પેશભાઈ ચૌધરી અને દિનેશભાઈ ચૌધરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..ગણિત વિજ્ઞાન ના ઉત્સાહી શિક્ષક અલ્પેશભાઈ ચૌધરી એ બધા ને શુભેચ્છા પાઠવી કાર્યકમ ની આભારવિધિ કરી હતી..