વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.""
પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા શાળા ના આચાર્યશ્રી ભરતભાઈ પુરોહિત સાહેબ ના અધ્યક્ષ સ્થાને આજ રોજ દેવ વિદ્યા મંદિર સંકુલ માં ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.. જેમાં શાળા ના તમામ ગુરૂ ગણ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાયૅકમ ની શરૂઆત પ્રાથૅના થકી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટય કરી કાયૅકમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન ધોરણ 10 ની વિધાર્થી ચૌધરી હેતલબેન સોમાભાઈ અને ચૌધરી હિતેશભાઈ સવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.. ધોરણ 10 ના વિધાર્થી મિત્રો દ્વારા વિદાય ગીત અને આખા વષૅ ની કામગીરી ને બિરદાવી હતી.. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ એ ધોરણ 10 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી.. શાળા ના ઉપાચાર્ય જયેશભાઈ સાહેબે આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી. અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.
શાળા ના ધોરણ 10 ના વર્ગ શિક્ષક નવીનભાઈ પરમાર એ વિદાય ની વસમી વેળા ને વક્તવ્ય દ્વારા બાળકો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
અંતે શાળા નિયામક રમેશભાઈ ચૌધરી દ્વારા સુંદર આભાર વિધી કરી કાયૅકમ ને પુણૅ જાહેર કર્યો હતો.. શાળા કક્ષાએ થી વિધાર્થીઓ ને ફોલ્ડર ફાઈલ ભેટ સ્વરૂપે આપી હતી.અને કુમકુમ ચાંદલો કરી મો મીઠું કરાવી પરીક્ષા રિસિપ આપવામાં આવી હતી. ભાવભરી વિદાય આપી હતી..અને નાસ્તો કરી છૂટા પડ્યા હતા.
ધોરણ 10 અને 12 વિધાર્થી ઓએ વિદાય ની સંપુણૅ જવાબદારી સારી રીતે નિભાવી હતી.ધોરણ 10 માં બાળકો તરફ થી એંકર ટેબલ અને કોમ્પ્યુટર ટેબલ ની શાળા ને ભેટ અર્પણ કરી હતી..ધોરણ 12 ના વિદ્યાર્થી તરફ થી પણ સુંદર મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી.શાળા ના તમામ સ્ટાફ મિત્રો દ્વારા આજ ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
" પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.