ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને ધોરણ 9 ના બાળકો માટે માઘ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજવામાં આવે છે. તેજસ્વી બાળકોની પ્રતિભા બહાર આવે અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે અને મેરીટ માં પોતાનું સ્થાન મેળવે તેમને સરકાર દ્વારા શિષ્યવૃતિ મળવા પાત્ર હોય છે. ગઈ સાલ થરાદ તાલુકાના 14 વિદ્યાર્થિઓ માંથી આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવીને આ શિષ્યવૃતિ મેળવી હતી. આ વર્ષે પણ જ્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારથી જ વિદ્યાર્થિઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે સૌથી વધુ ધોરણ 6 માંથી કુલ 15 વિદ્યાર્થિઓ અને ધોરણ 9 માંથી કુલ 38 વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી. દરેક વિદ્યાર્થી વિશેષ તૈયારી કરી અને મેરીટમાં સ્થાન મેળવી શકે તે માટે શાળા દ્વારા દરરોજ સવારે એક કલાક એમને દરેક વિષયની તૈયારી અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
અને અંતે સફળતા પણ મળી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતના ફળ રૂપે ધોરણ ૬ માં ૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે બધા જ પાસ થયા અને ધોરણ ૯માંથી કુલ ૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૩૫ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. થરાદ તાલુકાની કુલ ૧૪ સીટોમાંથી આપણી શાળાના ત્રણ વિદ્યાર્થોએ મેરીટમાં સ્થાન મેળવ્યું હતું. જે બદલ શાળા પરિવાર ગર્વ અનુભવે છે અને તે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનદન પાઠવે છે.