મનુષ્ય જીવન માં કોઈપણ ક્ષેત્રે કાયૅ સિધ્ધ કરવું હોય તો ગુરૂ ની જરૂર પડે છે. પછી ભલે તે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. ગુરૂ વગર કંઈ શીખી શકાતું નથી. ગુરૂ એટલે શિખવાડનાર. ગુરૂ દ્વારા જ અંધકારમય જીવન માંથી પ્રકાશ તરફ જવાનો સાચો માગૅ મળે છે.
*આપણા ભારતવષૅ માં અષાઢ સુદ પૂનમ ને ગુરૂ પૂર્ણિમા તરીકે દરેક સંપ્રદાય ના લોકો મહાન પવૅ તરીકે ઊજવે છે.*
*આજે દેવ વિધામંદિર થરાદ દ્વારા "ગુરૂ પૂર્ણિમા " ની ઉજવણી કરવામાં આવી હતી. કાયૅકમ ની શરૂઆત જયેશભાઈ પંડ્યા એ આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું. ગુરૂ મંત્ર દ્વારા આખા વાતાવરણ ને રંગીન બનાવી શાળાની નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.. કાર્યક્રમનું સંચાલન ઉત્સાહિત શિક્ષક શ્રવનભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ના ઉત્સાહિત શિક્ષક વિરદાસભાઈ એ ગુરૂ પૂર્ણિમા તેમજ ગુરૂનું જીવન મા શું મહત્ત્વ છે તેની સમજ આપી હતી. આજે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભજન સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પધૉ તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકવિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, તેમજ માધ્યમિક વિભાગ ના બાળકો દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી.બાળકો માં આજે અનેરો આનંદ જોવા મળ્યો હતો.હરિતાબેન દવે દ્વારા સુંદર ગુરુ શિષ્ય નું ચિત્ર દોરી આકર્ષક બુલેટિન બોર્ડ બનાવ્યું હતું.*
*છેલ્લે કાર્યક્રમ ની આભારવિધિ શાળાના શિક્ષક સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવી હતી. તમામ શિક્ષક મિત્રો એ તેમજ બાળકો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.*