પળ મા મિલન તો પળ મા જુદાઈ છે,
વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.""
પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને આજ રોજ દેવ વિદ્યા મંદિર સંકુલ માં ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.. જેમાં શાળા ના તમામ ગુરૂ ગણ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાયૅકમ ની શરૂઆત પ્રાથૅના થકી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટય કરી કાયૅકમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન ધોરણ 10 ના વિધાર્થી ચૌધરી મુકેશભાઈ અને ચૌધરી સુમિત દ્વારા કરવામાં આવ્યું હતું.. ધોરણ 10 ના વિધાર્થી મિત્રો દ્વારા વિદાય ગીત અને આખા વષૅ ની કામગીરી ને બિરદાવી હતી.. ધોરણ 12 ના વિધાર્થીઓ દ્વારા પણ સરસ કાયૅકમ કરવામાં આવ્યા હતાં.. શાળા ના આચાર્ય શ્રી જયેશભાઈ પંડ્યા એ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી.. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી. અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા..શાળા ના નિયામક રમેશભાઈ ચૌધરી દ્વારા સુંદર પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 ના વગૅ શિક્ષક શ્રી સુરેશભાઈ બારોટ અને પ્રકાશભાઈ સુથાર દ્વારા આખા વષઁ ની યાદો તાજા કરી હતી.. ધોરણ 06 ના વગૅશિક્ષક ભવનસિંહ સોઢા એ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો માં અનેરો ઉત્સાહ લાવ્યો હતો..આજ ના પ્રસંગ ને અનુરૂપ અન્ય વિદ્યાર્થીઓ એ પણ સુંદર વક્તવ્ય રજુ કયુૅ હતું. શાળા ની બહેનો દ્વારા સુંદર વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રવિણભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર વિદાય ના શબ્દો થકી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો..
ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ દ્વારા શાળા ને ભેટ સ્વરૂપે રમત ગમત ના સાધનો આપ્યા હતા. તેમજ બધા શિક્ષક મિત્રો ને ભેટ આપી તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું..
અંતે ભવનસિંહ સોઢાએ આભાર વિધી કરી કાયૅકમ ને પુણૅ જાહેર કર્યો હતો.. શાળા કક્ષાએ થી વિધાર્થીઓ ને બોલપેનો ફાઈલ ભેટ સ્વરૂપે આપી બધા વિધાર્થીઓ ને નાસ્તો આપી ભાવભરી વિદાય આપી હતી..તમામ શિક્ષક મિત્રો સહભાગી બન્યા..
ધોરણ 10 ના વિધાર્થી ઓએ વિદાય ની સંપુણૅ જવાબદારી સારી રીતે નિભાવી હતી. આગળ ના દિવસે પોતાના વગૅખંડ ને ખુબ જ સારી રીતે સજાવ્યો હતો અને આજે ખુલ્લો મુકાયો હતો.. બીજા બાળકો જોઈને ખુબજ આનંદિત થઈ ગયા હતા..
"" પરિક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ ""