-->

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 2025

28 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારત માટે ગૌરવપૂર્ણ છે કારણ કે આ દિવસે સમગ્ર એશિયા ખંડમાં ભારતીય વ્યક્તિ સી.વી. રામન ને ભૌતિકશાસ્ત્રમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.આ નોબલ પુરસ્કાર તેમની શોધ રામન અસર બદલ એનાયત થયો હતો.આ દિવસ ભારતભરમાં ગૌરવશાળી યાદ રહે તે માટે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં બાળકો વિજ્ઞાનને જાણે અને તેના પ્રત્યે વિશિષ્ટ રસ જગાવે તેમજ નવું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આપણી શાળામાં પણ દર વર્ષે આ દિવસનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધા, દિન વિશેષ વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું.. ક્વિઝ સ્પર્ધામાં ધોરણ 6 થી 09 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ પાંચ ટીમ હતી. જે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ પરથી ટીમના નામ આપવામાં આવ્યા હતા. જેમાં ડો વિક્રમભાઈ સારાભાઈ ટીમ વિજેતા જાહેર થઈ હતી. જેમને શાળાના નિયામક રમેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા વિજેતા ટીમને તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. આ દિવસની ઉજવણીનું સમગ્ર આયોજન ઉત્સાહિત શિક્ષક શ્રી સેંધાભાઈ પ્રજાપતિ અને દિનેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગીત બોલી કાર્યક્રમ ને પૂર્ણ કર્યો હતો..