-->

વિશ્વ યોગ દિવસ ઉજવણી - 2022

*દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.*
 આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજ રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી..યોગ નું મહત્વ દિવશે ને દિવશે વધતું જાય છે. યોગ એ આત્મા સાથે નું મિલન છે.જેના ભાગ રૂપે આજે શાળા માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા બાળકો ને આજ ના દિવસ નું મહત્વ સમજાવી યોગ ના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.. શાળા ના ઉત્સાહિત શિક્ષક અને યોગ ટ્રેનર શ્રવણભાઈ રાજપૂત દ્વારા બાળકો ને વિવિધ યોગ કરાવવા માં આવ્યા હતા..કાર્યક્રમ માં શાળા ના તમામ શિક્ષક મિત્રો અને વાલીઓ એ ભાગ લીધો હતો..